Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે વૃધ્ધ મતદારો માટે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

ભરૂચ ખાતે વૃધ્ધ મતદારો માટે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ
X

જિલ્લામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ રહેલા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી નવનીત મહેતા અને સ્વીપ ટીમ ધ્વારા વડીલોનું ધર, કસક - ભરૂચ ખાતે વૃધ્ધ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વૃધ્ધ મતદારો ઉપસ્થિત રહયા હતા. તેઓને ઇવીએમ અને વીવીપેટ મશીનની જાણકારી અપાઇ હતી. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના નવા કાંસીયા ખાતે ભરૂચ જિલ્લાના સાહિત્યકાર અને સર્જકો સાથે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કવિ અંકુર બેંકર,કવિ વિરેશ ધડીયાળી અને કવિત્રી મયુરીકા બેંકર ઉપસ્થિત રહી વિધાર્થીઓને અને ગ્રામજનોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

સાથે સાથે સીગનેચર કેમ્પેઇન દ્વારા મતદારોને લેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ સાથે જિલ્લામાં વિધાનસભા મત વિસ્તાર વાઇઝ મતદાન જાગૃતિ રથ પણ ફરી રહયો છે. લોકોને વીવીપેટ મશીન અને ઇવીએમ મશીનની વિગતવાર સમજણ આપવામાં આવી રહી છે.આ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ગોઠવવામાં આવી રહયું છે.

Next Story