Connect Gujarat
Featured

ભરૂચ : ઘી કોડિયા વિસ્તારમાં માર્ગ પર ખોદકામને લઈને સ્થાનિકોમાં રોષ

ભરૂચ : ઘી કોડિયા વિસ્તારમાં માર્ગ પર ખોદકામને લઈને સ્થાનિકોમાં રોષ
X

ભરુચ શહેરના ઘી કોડિયા વિસ્તારમાં 11 મહિના પહેલા બનાવેલ માર્ગને ફરી ખોદકામ કરાતા હોવાના આક્ષેપ સાથે વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો

ભરુચ નગર પાલિકા તંત્ર દ્વારા ભરુચ શહેરના ઘી કોડિયા વિસ્તારમાં 11 મહિના પહેલા આર.સી.સી.માર્ગ બનાવવામાં આવ્યો હતો જે માર્ગ પર ફરી ખોદકામ શરૂ કરવામાં આવી રહ્યું છે તેવા સમયે વેપારીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને દિવાળી તહેવારમાં ગ્રાહકોના અવર જવર કરતાં હોય ત્યારે માર્ગનું ફરી સમારકામ આરંભી પતરાં મૂકી દેવાતા ધંધા રોજગાર પર અસર થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

એક તરફ સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં નહિ ભરવામાં આવતા હોવાનું જણાવ્યુ હતું તો બીજી તરફ નગર પાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ હાલ માર્ગનું ફરી રિપેરિંગનું કામ ચાલતું હોવાથી સ્થાનિકોને કોઈની પણ ખોટી વાતોમાં ન આવવા અપીલ કરી છે.

Next Story