Connect Gujarat
Featured

ભરૂચ : જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા “પુષ્પાંજલિ” અર્પણ કરાઇ

ભરૂચ : જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા “પુષ્પાંજલિ” અર્પણ કરાઇ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરના મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જનક શાહ, અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ મહામંત્રી ભાવેશ કાયસ્થ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે પુષ્પાંજલિ કાર્યક્રમ દરમ્યાન ભાજપના કાર્યકરોએ સરકારની ગાઈડલાઇનના નિયમોનું પણ પાલન કર્યું હતું.

Next Story