Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાના બલોટા ગામની યુવતિએ જન્મદિવસે જ નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલ કર્યું

ભરૂચ જિલ્લાના બલોટા ગામની યુવતિએ જન્મદિવસે જ નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલ કર્યું
X

છુટાછેડાના પગલે યુવતિએ આત્મહત્યા કરી હોવાની લોકોમાં ચર્ચા

ખાનપુર વોક વે પરથી ભરૂચ જિલ્લાના બલોટા ગામની યુવતિએ જન્મ દિવસના દિવસે નદીમાં ઝંપલાવી દઈ મોતને વ્હાલુ કરી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે રીવર ફ્રન્ટ પોલીસે મૃતક મહિલાના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

Atmahatya

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખાનપુરના વોક વે પરથી ભરૂચ જિલ્લાના બલોટા ગામની રહેવાસી પારૂલબેન હસમુખભાઈ પટેલ (ઉ.વ. ૨૨)ની યુવતીએ પોતાના જન્મ દિવસે જ નદીમાં મોતની છલાંગ લગાવી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ યુવતીના ૧૭ જાન્યુઆરીએ છુટાછેડા થયા હોવાનું જાણવા મળ્યું હતું. છુટાછેડાના પગલે યુવતીએ નદીમાં ઝંપલાવી અંતિમ પગલુ ભર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે મૃતક યુવતી પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.હાલ ઘટના અંગે રીવર ફ્રન્ટ પોલીસે યુવતીના પરિવારજનોની પુછપરછ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

Next Story