ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat17 Nov 2019 9:52 AM GMT
X
Connect Gujarat17 Nov 2019 9:52 AM GMT
ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ના સફળ
સ્નેહમિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહ બાદ તૃતીય સ્નેહમિલનનું આયોજન
૧૭.૧૧.૧૯ રવિવારના રોજ સમાજના આગેવાનો દ્વારા
કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં ભરૂચ જિલ્લામાં વસતા તમામ દશનામ ગોસ્વામી
સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના ર્ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, કલેક્ટર કચેરી પાસે યોજાયેલ આ સ્નેહમિલનમાં સમાજના
પરિવારોના પ્રશ્નો, સમાજનું શિક્ષણ સ્તર
વિગેરે વિષયો પર સૌ ભેગા મળી ચર્ચા કરવામાં આવી હતી. તો ગોસ્વામી સમાજના આ
સ્નેહમિલન કાર્યક્રમમાં ગોસ્વામી સમાજની અને ગુજરાતી ફિલ્મ કલાકાર જીજ્ઞાબેન
ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story