Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નબીપુર નજીક રીક્ષા પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત

ભરૂચ : નબીપુર નજીક રીક્ષા પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત
X

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૪૮ પર આવેલ નબીપુર ગામ નજીક રીક્ષા પલટી જતા રીક્ષાચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર ખાતે રહેતા શૈલેશ અમરતભાઇ મોદી રીક્ષા નં. જીજે-૧૬-વાય-૭૮૯૦ને હંકારી નબીપુર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન રીક્ષાના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ઇલેક્ટ્રિકના પોલ સાથે અથડાતા પલટી જતા ચાલક દબાઇ જતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઉપરાંત રીક્ષામાં સવાર નબીપુરના રહેવાસી મોહન શંકરભાઇ વસાવાને સામાન્ય ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે નબીપુર પોલીસ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story