Connect Gujarat
ગુજરાત

ભરૂચ નર્મદા જિલ્લા શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

ભરૂચ નર્મદા જિલ્લા શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
X

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે નિર્ભયતા પૂર્વક પરીક્ષાર્થી પરીક્ષા આપે તે માટે તંત્ર કવાયત

ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. : નર્મદા જિલ્લામાં ધો. 10માં કુલ 11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપીદીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.

વિદ્યાર્થીના જીવનની મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થઇ ગઈ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 3,746 અને સામાન્ય પ્રવાહમાં 7,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારેનર્મદા જિલ્લામાં ધો. 10માં કુલ 11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓપરીક્ષા આપી રહ્યા છે.

પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઇ પરેશાની નઉભી થાય તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવીરહી છે.

હાલ શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમરા ની બાઝ નજર હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થી ઓ પરીક્ષાઆપતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ સવાર થી છાત્રોના વાલીઓ અને છાત્રો નો ધસારો વિવિધ શાળા ના કેદ્ર ઉપર જોવા મળ્યાહતા. અને ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થી ઓ તેઓ ના વર્ગ ખંડ ખાતે પરીક્ષા આપતા નજરે પડ્યા હતા.

Next Story