Connect Gujarat
ગુજરાત

ભરૂચ ને.હા.નં 8 પર કરણી સેનાએ પદ્માવત ફિલ્મનાં વિરોધમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ

ભરૂચ ને.હા.નં 8 પર કરણી સેનાએ પદ્માવત ફિલ્મનાં વિરોધમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ
X

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 8 પર રજપૂત કરણી સેનાએ ફિલ્મ પદ્માવતનાં વિરોધમાં ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો,અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

રજપૂત કરણી સેનાનાં કાર્યકરોનાં વિરોધનાં પગલે ઝાડેશ્વર ચોકડી ખાતેનાં હાઇવે ઉપર એક સમયે વાહનોની લાંબી કતારો લાગી હતી, સાથે કરણી સેનાએ પદ્માવત ફિલ્મને ભરૂચનાં થિયેટરો માં રિલીઝ કરવા મુદ્દે પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ફિલ્મને ન જોવા જવા લોકો ને અપીલ પણ કરી હતી.

કરણી સેનાનાં ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઇ એક સમયે હાઇવે ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સાથે જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ સળગતા ટાયરોને રસ્તા ઉપર થી હટાવી મામલાને શાંત પાડ્યો હતો.

Next Story