ભરૂચ ભગવાન જગન્નાથજી ના ભક્તિ રંગે રંગાયું
BY Connect Gujarat6 July 2016 1:15 PM GMT
X
Connect Gujarat6 July 2016 1:15 PM GMT
ભરૂચ શહેરના ફુરજા બંદર ખાતે ના મંદિર તેમજ ઉડિયા સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ માં વસતા ઓડિશા ના ઉડિયા સમાજ દ્વારા પૂરી ખાતે યોજાતી પરમ પરાગત ભગવાન જગન્નાથજી ની રથયાત્રા સમાન જ રથયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ના આગેવાનો એ ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લીધો હતો.
જ્યારે શહેર ના ફુરજા બંદર પાસે આવેલ ભગવાન શ્રી જગન્નાથ ના મંદિર થી રથયાત્રા નો પ્રારંભ થયો હતો,અને જગત નો નાથ જય જગન્નાથ ના ગગન ચુંબી નારા સાથે ભક્તો એ વાતાવરણ માં ભક્તિ રસ ભેળવી દીધો હતો.
ભગવાન ની નગરચર્યા ભોયવાડ માં સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે ભક્તો એ જાંબુ,ફણગાવેલા મગ નો પ્રસાદ આરોગીને ધન્યતા નો અહેસાસ કર્યો હતો.આ અવસર નિમિતે મોટી સંખ્યામાં શહેરીજનો રથયાત્રામાં જોડાયા હતા.
Next Story