Connect Gujarat
ગુજરાત

ભરૂચ માં ઝાડેશ્વર ચોકડી ખાતે હાર્દિક નું સ્વાગત કરાયું

ભરૂચ માં ઝાડેશ્વર ચોકડી ખાતે હાર્દિક નું સ્વાગત કરાયું
X

વિઠ્ઠલ રાદળીયા સાથે ની વાતચીતી સમાજ ને ગેર માર્ગે દોરનાર,હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ ની જામીન પર મુક્તિ બાદ તેનું ઠેર ઠેર પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે,ત્યારે ભરૂચ ની ઝાડેશ્વર ચોકડી ખાતે પણ હાર્દિકને યુવાનોએ ઉમળકાભેર આવકાર આપીને શુભેચ્છા પાઠવી હતી.

સુરત લાજપોર જેલ માંથી હાર્દિક પટેલની નવ મહિના બાદ જામીન પર મુક્તિ થઈ છે અને જેલ માંથી બહાર આવ્યા બાદ સુરત માં હાર્દિક પટેલે ખુલ્લી જીપ માં રોડ શો માં જોડાય ને લોકોનું અભિવાદન કર્યું હતું.તારીખ 15મી ની રાત્રીએ હાર્દિક પટેલ નો કાફલો ભરૂચ ખાતે પહોંચતા ભરૂચ ના પાટીદાર સમાજ ના યુવાનો દ્વારા હાર્દિક નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પત્રકારો સાથે ની વાતચીત માં હાર્દિકે વિઠ્ઠલ રાદળીયા સાથે ની મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે તે વિઠ્ઠલભાઈ ને મળ્યો નથી અને તેઓ સાથે ની વાતચીત ની જે સમાજ માં ચર્ચાઓ ચાલે છે તે માત્ર સમાજ ને ભ્રમિત કરવા માટે છે તે થી મીડિયા ના માધ્યમ થી તે આ સત્ય વાત લોકો સુધી અને સમાજ સુધી પહોંચાડવા માંગે છે.

Next Story