ભરૂચ માં બીજેપીના 36માં સ્થાપના દિને ભારત માતા ગૌરવ કુચ યોજાઈ.
BY Connect Gujarat6 April 2016 12:46 PM GMT
X
Connect Gujarat6 April 2016 12:46 PM GMT
ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 36માં સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે શહેરમાં ભારત માતા ગૌરવ કુચ થકી બીજેપીની કાર્ય પ્રણાલીથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરના કસક પાસે આવેલ હનુમાનજી ના મંદિર થી બીજેપી દ્વારા 36માં સ્થાપના દિન પ્રસંગે ભારત માતા ગૌરવ કુચ યોજવામાં આવી હતી.આ પ્રસંગે સુરત નવસારીના સાંસદ એસ.આર.પાટીલ,રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી,ધારાસભ્ય દુષ્યંત પટેલ,ઈશ્વર પટેલ,સહીત ના બીજેપીના આગેવાનો,હોદ્દેદારો ,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કુચ માં જોડાયા હતા.
ભરૂચ તેમજ નર્મદા જીલ્લા બીજેપી દ્વારા સ્થાપના દિન ની ઉજવણી ના પ્રસંગે પ્રથમ રેલવે સ્ટેશન વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને ભારત માતા ગૌરવ કુચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સોનેરી મહેલખાતે કુચ નું સમાપન થયું હતું.
Next Story