ભરૂચ : માછીમારોનું ચાર કલાક પૂરના પાણીમાં ઉભા રહી વિરોધ પ્રદર્શન
BY Connect Gujarat10 Sep 2019 5:18 PM GMT
X
Connect Gujarat10 Sep 2019 5:18 PM GMT
નર્મદા ગાડીતુર થતા ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં પુર ની સ્થિત સરકારને જવાબદાર હોય ના આક્ષેપ સાથે માછીમારો એ ચાર કલાક સુધી પૂરના પાણીમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. માછીમાર સમાજ દ્વારા ચાર રસ્તા વિસ્તારમાં આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
નર્મદા ડેમ માંથી સતત 6 વર્ષ થી પાણી છોડવા ન આવતા આજે ડેમ માં થી ભરપૂર આવક ના કારણે થતા ભરૂચ માં પુર ની સ્થિતિ ઉભી થવા પામી હોવાનું સમાજના આગેવાનો એ આક્ષેપ કર્યો હતો.પહેલા નદીમાં પાણી નહીં છોડાતા માછીમાર સમાજ બેહાલ હતો. હવે નદીમાં ભરપૂર પાણી છોડાતા જુવાળ નિષ્ફ્ળ જતા માછીમારોની રોજગારી પર અસર પડી છે.
Next Story