ભરૂચ યુવા ભાજપ દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ની સ્મરણાંજલિ અર્થે રક્તદાન શિબિર યોજાઈ
BY Connect Gujarat26 Jun 2016 8:34 AM GMT
X
Connect Gujarat26 Jun 2016 8:34 AM GMT
ભરૂચ જીલ્લા યુવા ભાજપ દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિન સંદર્ભે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતું.
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિતે ભરૂચ જીલ્લા યુવા ભાજપ દ્વારા તેઓની સ્મરણાંજલિ અર્થે જ્યોતિનગર પાસે આવેલ જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ બ્લડ બેન્ક ના સહયોગ થી યોજાયેલ રક્તદાન શિબિર માં મોટી સંખ્યામાં રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ ના આગેવાનો,હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
Next Story