Connect Gujarat
ગુજરાત

ભરૂચ: રાષ્ટ્રીય પરિસંવાદમાં કથાકાર મોરારીબાપુ રહયાં હાજર

ભરૂચ: રાષ્ટ્રીય પરિસંવાદમાં કથાકાર મોરારીબાપુ રહયાં હાજર
X

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જાણીતા રામકથાકાર મોરારીબાપુ અને સાહિત્યકાર રઘુવીર ચૌધરી ઉપસ્થિત રહયાં હતાં.

જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. રઘુવીર ચૌધરી તેમજ મોરારીબાપુ ઉપરાંત અન્ય વકતાઓએ હાજર રહી તેમના મંતવ્યો રજૂ કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ મોરારીબાપુએ એક કથા દરમિયાન નીલકંઠવર્ણી વિશે કરેલી ટીપ્પણી બાદ વિવાદ થયો હતો.

Next Story