Connect Gujarat
ગુજરાત

ભારતીય સંવિધાનના 70મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયાં

ભારતીય સંવિધાનના 70મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયાં
X

ભારતીય સંવિધાનના 70માં સ્થાપના દિવસ નિમિતે સુરત શહેરના પાંડેસરા નાગસેન નગરના રહેવાસીઓએ આયુષમાન ભારત કાર્ડ બનાવવા માટે કેમ્પ જયારે વડોદરા શહેરમાં ‘‘સમરસતા તરફ કૂચ’’નું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1949માં 26મી નવેમ્બરના રોજ ભારતીય સંવિધાનની રચના કરવામાં

આવી હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરએ આજના દિવસે ભારતીય સંવિધાન તૈયાર કરીને દેશના

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ,

વડાપ્રધાન

જવાલાલ નેહરૂ તેમજ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓને અર્પિત કર્યું

હતું. દેશભરમાં 26મી નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે

ઉજવવામાં આવે છે. સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરના પાંડેસરા વિસ્તારના

નાગસેન નગરમાં રહીશોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી લોકો સુધી સરકારી

યોજનાનો લાભ પહોંચે તે હેતુથી આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા માટે કેમ્પ યોજયો હતો.

વડોદરા શહેરના રેસકોર્ષ નજીક ડો. ભીમરાવ આંબેડકર સ્ટેચ્યુ ખાતે વિવિધ સામાજિક સંસ્થા તેમજ સરકારી સંગઠનો દ્વારા 70માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિસપલ કમિશ્નર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશ્નર સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ સમરસતા કૂચને પ્રસ્થાન કરાવ્યું હતું. સમરસતા કૂચમાં પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનો, કલેક્ટર કચેરીના કર્મચારીઓ, શાળાના બાળકો તેમજ સ્વૈચ્છીક સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Next Story