Connect Gujarat
દુનિયા

ભારત અને આફ્રિકાની ચોથી વનડે, સીરિઝ જીતવાની ટીમ ઇન્ડિયા પાસે તક

ભારત અને આફ્રિકાની ચોથી વનડે, સીરિઝ જીતવાની ટીમ ઇન્ડિયા પાસે તક
X

જ્હોનિસબર્ગમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી વન ડેનો જંગ ખેલાશે. ભારત પાસે સીરિઝ જીતવાની તક છે. છ વન ડે મેચની સીરિઝમાં ત્રણ મેચમાં જીત મેળવી ભારતે 3-0 થી લીડ મેળવી છે. સીરિઝની ચોથી વન ડે વાંડરર્સ મેદાન પર રમાશે. આ મેચમાં જો ભારત જીત મેળવશે તો સીરિઝ પોતાને નામે કરવામાં સફળ થશે.

વિરાટ બ્રિગેડનું હાલનું ફોર્મ જોતા લાગી રહ્યું છે કે ચોથી વન ડેમાં જીત મેળવી ટીમ વધુ એક ઈતિહાસ પોતાના નામે કરશે. કેપ્ટન કોહલી શાનદાર ફોર્મમાં રહેતા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને અત્યાર સુધી સીરિઝમાં બે સદી ફટકારી ચુક્યો છે. શિખર ધવન પણ ફોર્મમાં છે. ભારત માટે ચિંતાનો વિષય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ છે.

આ પ્રવાસ દરમિયાન ભારતની તાકાત પ્રથમ વખત બોલિંગમાં જોવા મળી છે. ટેસ્ટ સીરીઝમાં ફાસ્ટ બોલરોએ પોતાની કમાલ બતાવી તો વન ડેમાં સ્પિનર કુલદિપ યાદવ અને યજુવેંદ્ર ચહલની જોડીએ વિરોધીઓના નાકમાં દમ કરી રાખ્યો છે. આ જોડીએ દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેનોને ધણા મુશ્કેલીમાં મુક્યા છે ભારતની જીત માટે તે મુખ્ય કારણ બન્યા છે.

Next Story