Connect Gujarat
દુનિયા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 નો બીજો મુકાબલો 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 નો બીજો મુકાબલો 
X

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નાગપુર ખાતે બીજી ટી-20 મેચ રમાશે.ભારત માટે આ મેચ આજે ખરાખરી નો જંગ બની શકે છે.

પ્રથમ ટી -20 મેચ ઇંગ્લેન્ડે જીતી લીધા બાદ હવે આ મેચ ભારતે જીતવા માટે કરો યા મરોનો રસ્તો અપનાવવો પડશે.આ માટે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી પોતાની રણનીતિમાં કેટલાક ફેરફાર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ઓપનિંગ જોડી થી લઈને બેટ્સમેન અને બોલરોની રણનીતિમાં પણ ફેરફાર થઇ શકે છે તો બીજી તફર પહેલી ટી-20 મેચ પોતાના નામે કરી લીધા બાદ ઇંગ્લેન્ડમાં પણ આત્મવિશ્વાસ વધી ગયો છે અને બીજી મેચ જીતવા માટે તેઓ પુરી તૈયારી કરી લીધી છે.

Next Story