Connect Gujarat
દુનિયા

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન આતંકી હુમલાની દહેશત

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન આતંકી હુમલાની દહેશત
X

લંડનમાં થયેલા આતંકી હુમલાને પગલે હાલમાં યોજાય રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ પર આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

લંડનમાં આતંકી હુમલો થતા 7 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, જયારે જે મેચ પર સૌની નજર છે તે ભારત પાકિસ્તાનની મેચ એજબસ્ટનમાં રમાનારી છે,જોકે આતંકી હુમલાની દહેશતના પગલે બંને ક્રિકેટ ટીમોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે,વધુમાં ભારતીય ક્રિકેટ ટીમ બર્મિંગહામની હોટલમાં રોકાય છે તે હોટલની સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.

ભારત પાકિસ્તાન વચ્ચેનો સરહદ વિવાદ દિનપ્રતિદિન વધુ સંવેદનશીલ બનતો જાય છે ત્યારે એક તરફ આ મેચ અંગે પણ રાજકીયક્ષેત્રે વિરોધ વંટોળ ઉઠયો હતો. જોકે ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચમાં વરસાદ પણ વિઘ્ન લાવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story