Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ક્રૃષ્ણ ભક્ત જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી

ભાવનગર: ક્રૃષ્ણ ભક્ત જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી
X

કારતક સુદ સાતમ ક્રૃષ્ણ ભક્ત જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે, ત્યારે ભાવનગર માં નાના વિરપુર તરીકે ઓળખાતા આનંદનગર ભક્ત જલારામ બાપા મંદિરે પણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી.

ભાવનગરનું વિરપુર ધામ એવું આનંદનગર સ્થિત ભક્ત શ્રી જલારામ બાપા મંદિરે ૨૨૦ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી જેમાં સવારે ૮:૦૦ કલાકે ધજા પુજન ૮:30 કલાકે વિધિવત પુજન ૧૧:૩૦ કલાકે ૨૨૦ વ્યંજનોનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ વાનગી ,મિઠાઇ, સુકો મેવો, શાકભાજી, તેમજ વિવિધ વાનગીઓ ઘરવામાં આવી અને મહા આરતી કરવામાં આવી,સાથો સાથ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ થી ૩૦ હજાર જેટલા ભક્તો એ પ્રસાદનો લ્હાવો લીધો હતો.

Next Story