મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં ડિવાઈડર તોડી એક બસ નદીમાં ખાબકતા 13 લોકોનાં મોત
BY Connect Gujarat27 Jan 2018 4:59 AM GMT
X
Connect Gujarat27 Jan 2018 4:59 AM GMT
મહારાષ્ટ્રનાં કોલ્હાપુર નજીક એક બસ ડિવાઈડર તોડીને નદીમાં પડી ગઈ હતી ,જેમાં 13 થી વધુ લોકોનાં મોત થયા હતા,અને કેટલાક ઘાયલ થયા હતા,મુત્યુ પામનારમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થયા છે.
મીડિયા દ્રારા જાણકારી મળ્યા મુજબ શુક્રવારની મોડી રાતે 11 વાગ્યે આ ઘટના કોલ્હાપુરની પાસે પંચગંગા નદી બનેલ શિવાજી પુલ પર આ ઘટના બની,બસમાં કુલ 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા.તે લોકો એક ધાર્મિક યાત્રા પરથી રવાના થઇ રહ્યા હતા.
જાણકારી મળી હતી કે બસ ખુબ ઝડપી હતી,અને બસ શિવાજી પુલ પાસે આવી ત્યારે બસ બેકાબુ થઈ અને ડિવાઈડર તોડી બસ નદીમાં ખાબકી હતી,આ ઘટનાની જાણકારી મળતા ત્યાંની રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ક્રેઈનની મદદથી બસને બહાર કાઢી હતી.
Next Story