Connect Gujarat
દેશ

મીરાંબાઇ ચાનૂ અને વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત 

મીરાંબાઇ ચાનૂ અને વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત 
X

20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઇ ચાનૂ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ સિવાય 20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં છે.

રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. સચિન અને ધોની બાદ કોહલી ખેલરત્ન એવોર્ડ મેળવનાર ત્રીજા ક્રિકેટર બન્યા છે. આ અગાઉ 2013માં અર્જુન એવોર્ડ મેળવનારા કોહલીને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.

તેમજ મીરાંબાઇ ચાનૂની ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીતવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી થઇ છે. તેમણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંતુ ઇજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઇ શકી નહોતી.

Next Story