Connect Gujarat
ગુજરાત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત: ૪નાં મોત,૧૭ ઘાયલ

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત: ૪નાં મોત,૧૭ ઘાયલ
X

સિયાલજ પાસે લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો

ઓલપાડ, અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, કડોદરા, વરાછા સહિતની ૧૦૮ની મદદથી ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

મુંબઈ – અમદાવાદ હાઈવે પર ધડાકાભેર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સિયાલજ પાસે લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. જેમાં ૪ લોકોના મોત જ્યારે ૧૭ થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના એહવાલ મળી રહ્યા છે. ઘાયલ તમામને ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સિયાલજ પાસે મુંબઈ ખાતે લગ્ન પ્રસંગે જતી ખાનગી ટ્રાવેલ્સની બસનો એક કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હતો. ત્યાં હાજર લોકોના કહેવા પ્રમાણે, લકઝરી ચાલક દ્વારા આગળ દોડતી કારને બચાવવા જતા આ અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં બસના ચાલક સહિત મુસાફરોનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યામોત નીપજયા હતા.

જ્યારે આ અકસ્માતમાં ૧૭ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસ ના ગામના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઓલપાડ, અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, કડોદરા, વરાછા સહિતની ૧૦૮ની મદદથી ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઈ હતી. બનાવ અંગે હાલ કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story