રાજકોટનાં ધારાસભ્ય પર સ્થાનિકોએ પાણી ફેંકી નર્મદા રથયાત્રાનો કર્યો વિરોધ
BY Connect Gujarat12 Sep 2017 1:20 PM GMT
X
Connect Gujarat12 Sep 2017 1:20 PM GMT
રાજ્યમાં સરકાર દ્વારા નર્મદા રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટનાં વિધાનસભા ક્ષેત્ર 70નાં નર્મદા રથયાત્રાનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વોર્ડ નંબર 13નાં કોંગી કાર્યકર્તાઓ તેમજ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને ધારાસભ્ય પર પાણીની બોટલો ફેંકી પાણી પણ ઉડાડવામાં આવ્યુ હતુ. અને પોતાના તરફ વિરોધી વંટોળ જોતા ધારાસભ્ય કાર્યક્રમ પડતો મુકી ત્યાંથી સલામત રીતે જતા રહેવાનું વધુ ઉચીત સમજયુ હતુ.
Next Story