Connect Gujarat
ગુજરાત

રાજકોટનાં યુવરાણી કાદમ્બરી દેવીએ કર્યો ફિલ્મ પદ્માવતીનો વિરોધ

રાજકોટનાં યુવરાણી કાદમ્બરી દેવીએ કર્યો ફિલ્મ પદ્માવતીનો વિરોધ
X

ફિલ્મ પદ્માવતીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં પદ્માવતી ફિલ્મ ફિલ્માવવાને લઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

જેમાં ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ ફિલ્મ પર ગુજરાતમાં બેન લગાવવામાં આવ્યો છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજકોટનાં યુવરાણી કાદમ્બરી દેવીએ પોતાના મંત્વય રજુ કરતા જણાવ્યુ હતુ કે આજ દિવસ સુધી રાજપુતોએ કયારેય કોઈ ફિલ્મનો વિરોધ નથી કર્યો. આજ રાજપુત સમાજ ફિલ્મનો વિરોધ એટલા માટે કરી રહ્યો છે કારણ કે રાણી પદ્મીની દ્વારા જે રાજપુતી શાન, શીલતા અને સંસ્કારને લીધે પોતાના જીવની આહુતી આપવામાં આવી હતી, તેની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતુ કે જ્યારે પણ કોઈ ઐતિહાસિક પાત્ર પર ફિલ્મ નિર્માણ કરતા હોય ત્યારે તે પાત્રની ગરીમાને કોઈ પણ જાતની ઠેસ ના પહોંચે તેમના વંશજોની લાગણી ન દુભાઈ તે અંગે પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

Next Story