રાજકોટમાં વડાપ્રધાન મોદી ગાંધી મ્યુઝીયમનું કર્યું લોકાર્પણ
PM મોદીએ રૂ 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાજકોટ પહોંચ્યા હતા. ત્યાર PM મોદીએ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સભા સ્થળે પહોંચી. રાજકોટમાં પીએમ મોદીએ રૂપિયા 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કર્યું. પીએમના આગમનને લઈને રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભા બાદ ગાંધી મ્યુઝિમયની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ મોદી રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના નિધનને લઈને પેલેસ ખાતે તેમના પરિવારને સાંત્વના આપવા પણ જઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા માટે બે દિવસ પૂર્વે જ વડાપ્રધાનની સુરક્ષા ટીમ રાજકોટ આવી પહોંચી હતી. આ ઉપરાંત 6 ડીસીપી, 21 ડીવાયએસપી, 27 પીઆઇ, 160 પીએસઆઇ, 2270 કોન્સ્ટેબલ-જમાદાર, 463 મહિલા પોલીસ અને એસઆરપીના 390 જવાનો સહિત 3377 પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા.