Connect Gujarat
ગુજરાત

રાજકોટ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશની ઘટના અંગે ભાજપ સરકારનો કર્યો વિરોધ

રાજકોટ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશની ઘટના અંગે ભાજપ સરકારનો કર્યો વિરોધ
X

રાજકોટ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થયેલા દમન અંગે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સરકાર દ્રારા ખેડુતોના દમનને લઇને સમગ્ર રાજયમાં કોગ્રેસ દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે,ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

[gallery type="slideshow" size="full" ids="26336,26337,26338,26339"]

આ સમયે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી અને મહારાષ્ટ્રના એમપી રાજીવ સાતવજી હાજર રહ્યા હતા. તેઓએ ભાજપ સરકારને ખેડુત વિરોધી સરકાર ગણાવી હતી. સાથે આવતી વિઘાનસભાની ચુટણીમાં ખેડુતોનો મુદ્દો ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સમયે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા હતા. તેઓએ ગુજરાતમાં પણ ખેડુતોના અનેક પ્રશ્નો છે, સાથે જ રાજયમાં સૌથી મોટો ખેડૂતોનો જો કોઇ પ્રશ્ન હોય તો ખેડૂતોના પાકના પોષણ ક્ષમ ભાવ ન મળવાનો પ્રશ્ન છે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story