Connect Gujarat
ગુજરાત

રાજકોટ વાસીઓને આખું વર્ષ મળશે પૂરતું પીવાનું પાણી, નર્મદા નીર પર નહીં રહેવું પડે આધારિત

રાજકોટ વાસીઓને આખું વર્ષ મળશે પૂરતું પીવાનું પાણી, નર્મદા નીર પર નહીં રહેવું પડે આધારિત
X

રાજકોટમાં દર વર્ષે પાણી ની પારાયણ સર્જાતી હોઈ છે. તો સાથે જ દર ઉનાળે રાજકોટ કોર્પોરેશન માં માટલા ફોડ વિરોધ પણ થતો હોય છે. પરંતુ આ વર્ષે મેઘરાજા એ રાજકોટ પર અમી દ્રષ્ટિ કરતા નહીં સર્જાઈ પાણી ની પારાયણ. તો સાથે જ રાજકોટવાસીઓ ને રોજનું 20 મિનિટ પૂરતા ફોર્સથી પીવાનુ પાણી પણ મળી રહેશે.

એક સમય હતો જ્યારે રાજકોટ મનપામાં ઉનાળા માં માટલા ફોડ વિરોધ અચૂક જોવા મળતો. પરંતુ આ વર્ષે મેઘરાજા એ રાજકોટ પર પોતાની અમીદ્રષ્ટિ કરતા રાજકોટને 1 વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી મળી ચૂક્યું છે. રાજકોટ વાસીઓ ને પીવા માટે આજી1, ન્યારી 1 અને ભાદર માંથી પીવાનું પાણી મળે છે. ત્યારે હાલ આ ત્રણેય જળાશયો ની સ્થિતિ ની વાત કરવામાં આવે તો.ભાદર ની ઊંડાઈ 24.18 ફૂટ છે. ભાદર 6633એમસીએફટી પાણી ની કેપેસિટી ધરાવે છે. ત્યારે હાલ ભાદર માં 2956 એમસીએફટી પાણી છે. આમ જોવા જઈએ તો હાલ 44.47ટકા ભાદર મા પાણી છે.

ગત વર્ષે રાજકોટમાં ઓછો વરસાદ પડતા રાજકોટ નર્મદા નીર પર આધાર રાખવો પડ્યો હતો. જેના કારણે રાજકોટ મનપા એ પાણી માટે કરોડો રૂપિયા પણ ખર્ચવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે મેઘરાજા એ કૃપા દર્શાવતા રાજકોટ વાસીઓ ને પીવાનું પૂરતું પાણી પણ મળી રહેશે તો સાથે જ પાણી માટે કરોડો રૂપિયા પણ નહીં ખર્ચવા પડે.

રાજકોટના ન્યારી 1 ની ઊંડાઈ 7 મીટર છે. જેની કુલ કેપેસિટી 1248 એમસીએફટી પાણી ની છે. ત્યારે આજરોજ ન્યારી 1ડેમ માંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું હતું. ન્યારી 1 માંથી રાજકોટ પશ્ચિમ ને પીવાનું પાણી આપવામાં આવે છે. રાજકોટનો આજી ડેમ 29 ફૂટ ઊંડો છે. ત્યારે હાલ આજી ડેમમાં 573 એમસીએફટી પાણી છે. આજી ડેમ ની કુલ કેપેસિટી 933 એમસીએફટી પાણી ની છે. જેમાંથી રાજકોટ પૂર્વને પાણી આપવામાં આવે છે.

Next Story