Connect Gujarat
ગુજરાત

રાજકોટ : શ્રીનાથજી સોસાયટીમાં આતંક મચાવનારા 12 આરોપી ઝબ્બે, પોલીસે કાઢયું સરઘસ

રાજકોટ : શ્રીનાથજી સોસાયટીમાં આતંક મચાવનારા 12 આરોપી ઝબ્બે, પોલીસે કાઢયું સરઘસ
X

રાજકોટના મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં આતંક મચાવનારા 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને રીકસ્ટ્રકશન માટે સ્થળ પર લાવવામાં આવતાં ટોળા એકત્ર થઇ ગયાં હતાં.

રાજકોટના મવડી પ્લોટની શ્રીનાથજી

સોસાયટી-11માં

મંગળવારે રાત્રીના કારખાનેદાર રોહિત ગાજીપરા સહિત 12 જેટલા શખ્સો સાથે મળી પોતાના પૂર્વ

કર્મચારીના ઘરે જઇ ફિલ્મી ઢબે આતંક મચાવતા દેકારો મચી ગયો હતો. હુમલામાં નિતેશ

ચાવડા તેના મોટા ભાઇ દિપક ચાવડા, પિતા દુર્લભજીભાઇ, ભત્રીજા

હિરેન તથા મિત્રને ઇજા થઇ હતી.અગાઉ યુવાન રોહિતના કારખાનામાં સોલાર સ્ટિમના સેલ્સમેન

તરીકે કામ કરતો હતો. હાલમાં બીજી કંપનીમાં કામે રહ્યો હોવાથી રોહિત ગાજીપરાએ

કંપનીના ભાવ સહિતના ડેટા માંગતા યુવાને ઇન્કાર કરતાં તેમણે હંગામો મચાવ્યો હતો. આ

ગુનામાં બારેય શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી હતી.આજે બપોરે આ તમામે જ્યાં

ફિલ્મી સ્ટાઇલ ધમાલ મચાવી હતી ત્યાં લઇ જઇ પોલીસે સરઘસ કાઢી રિકન્સ્ટ્રકશનની

કાર્યવાહી કરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

Next Story