Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે યોજાઇ “એકતા યાત્રા”

રાજકોટ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે યોજાઇ “એકતા યાત્રા”
X

સરદાર

વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ

જયંતિ નિમિતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં

આવ્યું હતું.

રાજકોટના રેસકોર્સ રિંગરોડ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી બાદમાં રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજિત “એકતા યાત્રા” માં અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટ શહેરવાસીઓ જોડાયા હતા. હજારોની સંખ્યામાં વહેલી સવારે “એકતા યાત્રા” માં લોકોએ એકતાના સંદેશ સાથે દોટ લગાવી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

Next Story