Connect Gujarat
ગુજરાત

રાજ્યનાં થિયેટર માલિકોએ ફિલ્મ પદ્માવત રિલીઝ નહિ કરવાનો કર્યો નિર્ણય

રાજ્યનાં થિયેટર માલિકોએ ફિલ્મ પદ્માવત રિલીઝ નહિ કરવાનો કર્યો નિર્ણય
X

અમદાવાદમાં ફિલ્મ પદ્માવતનાં વિરોધમાં તોડફોડ અને આગજનીનાં બનાવો પછી તારીખ 24મીની સાંજે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજપૂત સંગઠનો સાથે બેઠક કરી હતી.

જેમાં તારીખ 25મી ગુરુવારે રાજપૂત સંગઠનો ભારતબંધમાં નહીં જોડાય અને ગુજરાતમાં સ્કૂલો, સરકારી ઓફિસો અને બજારો રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમ જણાવ્યુ હતુ.

મંત્રીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહિં થાય. રાજ્યના થિયેટર માલિકોએ ફિલ્મ રિલીઝ નહિં કરવાનો નિર્ણય લીધો છે.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજપૂત સમાજના આગેવાનોને શાંતિ જાળવી રાખવા અને તારીખ 25મીએ રાજપૂત સમાજ દ્વારા અપાયેલા બંધમાં ન જોડાવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. સાથે જ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય બંધ પાળવામાં નહિં આવે. તમામ ઓફિસો, શાળાઓ, કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Next Story