Connect Gujarat
સમાચાર

રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ
X

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 203509 પર પહોંચી છેરાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14439 લોકો સ્ટેબલ છે..

રાજ્યમાં આજે 1560 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 337, સુરત કોર્પોરેશનમાં 231, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 87, પાટણ 64, સુરત 58, રાજકોટ 51, બનાસકાંઠા 41, મહેસાણા 40, વડોદરા 40, ગાંધીનગર 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, પંચમહાલ 29,આણંદ 28, ખેડા 28, જામનગર કોર્પોરેશન 27, મહિસાગર 26, અમદાવાદ 24 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1302 દર્દી સાજા થયા હતા અને 70820 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7551609 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.93 ટકા છે.

Next Story