Connect Gujarat
લાઇફસ્ટાઇલ

રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા રાજનું નિધન, પુત્ર રણધીરે આપી જાણકારી

રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા રાજનું નિધન, પુત્ર રણધીરે આપી જાણકારી
X

બોલીવુડનાં કલાકારોએ ટ્વીટર પર કૃષ્ણા રાજ કપૂરનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. આજે સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા કેટલાક સમયથી તેઓ શ્વાસની તકલીફનો સામનો કરી રહ્યા હતા. રાજ કપૂર સાથા તેમનાં લગ્ન વર્ષ 1946માં થયા હતાં. કૃષ્ણા રાજ એ કપૂર પરિવારના મોભી હતા. રાજ કપૂર અન કૃષ્ણા રાજ કપૂરનાં બાળકમાં રણધીર કપૂર, રાજીવ કપૂર, રીમા કપૂર, રિતુ કપૂરનો સમાવેશ થાય છે. જ્યારે કૃષ્ણા રાજ કપૂરએ કરિશ્મા કપૂર, કરીના કપૂર, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂરનાં દાદી હતાં.

87 વર્ષની વયે પણ તેઓ ઘણા એક્ટિવ હતાં. કૃષ્ણા રાજ કપૂર ફેમિલી પાર્ટીઝ અને મૂવી પ્રીમિયરમાં અવાર નવાર જોવા મળતા. 1988માં રાજ કપૂરનાં નિધન બાદ તેમણે જ પોતાના પૂરા પરિવારને એક સાથે રાખ્યો હતો. તેમણે રાજ કપૂરની ગેરહાજરીમાં તેમનાં બાળકોની જવાબદારી ઉપાડી લીધી હતી. રણધીર કપૂરે માતાનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા સમગ્ર દુનિયાને માતાનાં નિધન અંગેની જાણકારી આપી હતી. બોલીવુડનાં કલાકારોએ પણ ટ્વીટર પર કૃષ્ણા રાજ કપૂરનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

Next Story