Connect Gujarat
દેશ

રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત, પૂરગ્રસ્ત કેરળની મુલાકાતે જશે

રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત, પૂરગ્રસ્ત કેરળની મુલાકાતે જશે
X

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પાછા ફર્યા બાદ પૂરગ્રસ્ત કેરળની મુલાકાતે જઈ રહ્યા છે. રાહુલ ગાંધી લગભગ એક સપ્તાહની વિદેશ યાત્રા બાદ દિલ્હીના સ્થાને પહેલા સીધા કેરળ પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પોતાની કેરળ મુલાકાતની જાણકારી આપી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેઓ કેરળના પૂરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે અને રાહત કેમ્પો ખાતે રહેતા લોકોને પણ મળશે. આ સિવાય પૂરને કારણે પીડિત માછીમાર સમુદાય અને પૂરમાં મદદ પહોંચાડી રહેલા લોકો તથા જરૂરિયાતમંદોને મળીને રાહુલ ગાંધી તેમના હાલચાલ પણ પુછવાના છે. રાહુલ ગાંધી સતત ટ્વિટરના માધ્યમથી કેરળમાં આવેલા પૂર બાદ રાજ્યના લોકોને ભેદભાવ વગર પુરતી મદદ મળે તેની માગણી કરતા રહ્યા છે.

Next Story