આમોદ : રોઝાટંકારીયા ગામના પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી ફાંસો ખાઈ લીધો
પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક
વૃક્ષ નીચે લટકી યુવક યુવતીએ ફાંસો ખાઈ લીધાની માહિતી વાગરા પોલીસને મળી હતી
યુવક યુવતી આમોદના રોઝાટંકારીયા ગામના
આમોદના રોઝાટંકારીયા ગામના પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી જઇ જીવન ટૂંકાવી લીધુ હતુ. ઘટના સ્થળે પોલીસે પહોંચી તપાસ આરંભી દીધી હતી.
વાગરાની પોલીસની હદમાં વૃક્ષ નીચે લટકી યુવક યુવતીએ ફાંસો ખાઈ લીધાની માહિતી વાગરા પોલીસને મળી હતી.વાગરાના ચાંચવેલ ગામની સીમમાં પોલીસે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રેમી પંખીડાએ ઝાડ નીચે લટકી જીવન ટૂંકાવ્યાની વાત વાયુ વેગે આસપાસના ગામમાં પ્રસરી જતા લોક ટોળા ઉમટી પડયા હતા.તપાસ કરતા યુવક યુવતી આમોદના રોઝાટંકારીયા ગામના ડેરી ફળિયાના હોવાનું માલુમ પડયુ હતુ.નેહલ ચંદુ વાઘેલા,ઉ.વ. ૨૯ અને ઉર્મિલા ઉર્ફ ભૂરી ગિરીશ ચૌહાણ ઉ.વ.૨૨ એ કોઈક કારણ સર ઝાડ પર ફાંસો ખાઈ મોત ને વ્હાલુ કરી લીધુ હતુ.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બન્નેવ વચ્ચે પરમ પ્રાગર્યો હતો.અને સમાજના લોકો આડે આવતા હોવાથી એક અઠવાડિયા પહેલા ભાગી ગયા હતા.જો કે હાલ તો રોઝા ટંકારીયા ગામમાં પ્રેમી પંખીડાઓએ જાતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હશે કે પછી બંનેવની ઠંડા કલેજે હત્યા કરી દીધી હશેની લોક ચર્ચા ચાલી રહી છે.પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરી યુવક યુવતીની લાશને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથધરી હતી.