Connect Gujarat
ગુજરાત

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો
X

અંકલેશ્વર જીઆઇડીસીનાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર સ્પોટ્સ કોમ્પલેક્ષ ખાતે ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બલદેવ પ્રજાપતિ, સંદિપ વાધેલા, અને નિખિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, પાનોલી ઉદ્યોગ મંડળનાં પ્રમુખ બી.એસ.પટેલ, જયેશ પટેલ તેમજ કિરણસિંહ પરમાર, દિનેશ પટેલ સહિત આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story