Connect Gujarat
ગુજરાત

વડોદરા શહેરના 1800થી વધુ લોકોએ કરાવ્યું સોલાર પેનલ માટે રજિસ્ટ્રેશન

વડોદરા શહેરના 1800થી વધુ લોકોએ કરાવ્યું સોલાર પેનલ માટે રજિસ્ટ્રેશન
X

ગુજરાત સરકારની સૂર્ય યોજના હેઠળ વડોદરા શહેરના 1845 સહિત મધ્ય ગુજરાતના 2668 લોકોએ પોતાના ઘર ઉપર સોલાર લગાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 9398 લોકોએ સોલાર રૂફટોપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમ રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે વડોદરા ખાતે જણાવ્યું હતું.

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ચાર પ્રકારની યોજનાઓ દ્વારા માર્ચ-2022 સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા 30 હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા કરાશે. સરકારની આ યોજનામાં ગુજરાત વડોદરામાં સૌથી વધુ સોલાર રૂફટોપ માટે રજિસ્ટ્રેશન થયા છે. દરેક વ્યક્તિએ સરકારની આ યોજનાનો લાભ લેવો જોઇએ. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વીજ બચત કરનાર ગ્રાહક પાસેથી નિર્ધારીત રૂપિયા 2.65 પ્રમાણે વીજળી પણ ખરીદશે. સોલાર રૂફટોપ યોજના ગુજરાતના દરેક ઘર સુધી લઇ જવાનું સરકારનું લક્ષ્યાંક છે.

દેશના અર્થતંત્ર અંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા દેશના અર્થતંત્ર માટે લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી દેશનું અર્થતંત્ર ધબકતું થઇ ગયું છે. આગામી સમયમાં આવનારા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 15 ટકા સ્લેબ કરી દેવામાં આવ્યો છે. નવા ઉદ્યોગો આવવાથી રોજગારી પણ વધશે. તેની સાથોસાથે દેશના અર્થતંત્રમાં પણ સુધારો થશે. દેશના અર્થતંત્રની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇ રેગ્યુલર નાના ઉદ્યોગકારો લોન ભરપાઇ કરી શકતા ન હોય તેવા ખાતેદારોના ખાતા એન.પી.એ. ન કરવા પણ સરકાર દ્વારા બેંકોને સુચના આપી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં દેશમાં નવી કંપનીઓ રોકાણ માટે આવી રહી છે. તે માટે પણ સરકાર દ્વારા રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી નવી આવનાર કંપનીઓને જમીન ખરીદીથી લઇને યુનિટ ચાલુ થતાં સુધીમાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. નાણાંમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતોથી દેશના અર્થતંત્રને ફાયદો થશે.

Next Story