Connect Gujarat
દુનિયા

વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો 31 રનથી પરાજય

વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો 31 રનથી પરાજય
X

રવિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે 337 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો જેની સામે ભારતે 50 ઓવરમાં 306 રન કરતાં તેનો 31 રનથી પરાજય થયો હતો, સતત પાંચ મેચ જીતનાર ભારત વર્લ્ડકપમાં યજમાન ઇંગ્લેન્ડ સામે પહેલી મેચ હાર્યું. આ જીત સાથે જ ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. ભારતે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન ચોક્કસ કરવા હવે પછીની શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની 2માંથી કોઈ એક મેચ જીતવી જરૂરી છે.

338 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 306 રન જ કરી શકી હતી. લોકેશ રાહુલ શૂન્ય રને આઉટ થતા ભારતની શરૂઆત નબળી રહી હતી. તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 138 રન જોડ્યા હતા. રોહિતે કરિયરની 25મી સદી ફટકારતાં 109 બોલમાં 102 રન કર્યા હતા. જયારે કોહલીએ 66 રન કર્યા હતા. તે પહેલી વાત સતત પાંચ ફિફટીને સદીમાં કન્વર્ટ કરી શક્યો ન હતો. તે બંનેના આઉટ થયા પછી હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે જીતવાનો પ્રયાસ કર્યો હતો, પંડ્યાએ 45 રન અને પંતે 32 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે લિયમ પ્લન્કેટે 3 વિકેટ, જયારે ક્રિસ વોકસે 2 વિકેટ લીધી હતી. વોકસે પહેલી ત્રણેય ઓવર મેડન નાખી હતી.

Next Story