વર્ષનાં અંતિમ દિવસે 11 વાગ્યે મન કી બાત સંબોધશે PM મોદી
BY Connect Gujarat31 Dec 2017 5:03 AM GMT
X
Connect Gujarat31 Dec 2017 5:03 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં અંતમાં રવિવારે કરવામાં આવતું આ સંબોધન આ વર્ષના અંતિમ દિવસે આવે છે. તેથી તેમણે 21 ડિસેમ્બરનાં રોજ જ લોકોને પોતાના વિચારો તેમને મોકલવા આગ્રહ કર્યો હતો. આજે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વિશેની માહિતી આપવામાં આવી છે.
પીએમ મોદીએ થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે, વર્ષનું અંતિમ દિવસે 2017ના મન કી બાતનું અંતિમ સંસ્કરણ પ્રસારિત થશે. 31 ડિસેમ્બરનાં રોજ થનારા આ કાર્યક્રમ માટે હું તમારા વિચારો જાણવા માગુ છું. તેમણે કહ્યું હતું કે, 1800-11-7800 ડાયલ કરો અને મન કી બાત માટે સંદેશ રેકોર્ડ કરો. તમે માયજીઓની ઓપન ફોરમ પર પણ તમારા વિચારો રજૂ કરી શકો છો.
Next Story