Connect Gujarat
ગુજરાત

વલસાડઃ ખારવેલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના, ૨ કલાક સુધી મૃતદેહો રઝળ્યા

વલસાડઃ ખારવેલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના, ૨ કલાક સુધી મૃતદેહો રઝળ્યા
X

રોડ અકસ્માત સંદર્ભે રાજ્ય સરકારે ઘણાં કડક નિયમો બનાવ્યા છતાં અકસ્માતોમાં ઘટાડો થતો નથી. હાલમાં રાજ્યમાં અકસ્માતની ઘટનામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. જેમાં હાલમાં વલસાડમાં ધરમપુર ખાતે ખારવેલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૨ વ્યક્તિનાં મોત નીપજયા છે.

આ ઘટના ધરમપુરનાં ખારવેલ ગામ પાસે બની છે. જેમાં ટ્રક ચાલક એક ટેમ્પો અને બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ઘટના વહેલી સવારે હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના પછી દુ:ખદ વાતતો એ બની હતી કે, બંને મૃતદેહો ૨ કલાક સુધી રઝળ્યા કર્યા હતા. જેની કોઈ પણ કાળજી લેવામાં આવી ન હતી. જોકે, અકસ્માત બાદ મૃતદેહો રઝળ્યા કર્યા પણ શબવાહિનીના અભાવે મૃતદેહને ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિઓ અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી રહી નથી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story