Connect Gujarat
Featured

વલસાડ : ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત, 9 માસની બાળકીનો ચમત્કારિક બચાવ

વલસાડ : ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત, 9 માસની બાળકીનો ચમત્કારિક બચાવ
X

વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં હતા. જ્યારે 9 મહિનાની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે જાણે કાળ ચક્ર ફરી ગયું હોય તેમ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. પૂર ઝડપે હાઇવે પર દોડી રહેલા એક કાળમુખી ટ્રકે બાઈક પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ બાઇક પર સવાર માતા પિતા અને બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 9 મહિના માસુમ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનેલ પરિવાર નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતા હતા. ગણદેવી નજીક રહેતા અને વસુધરા ડેરીમાં કામ કરતા અજયભાઈ દલપત ભાઈ હરીજન નામનાં વ્યક્તિ કોઈ કામ અર્થે એક બાઈક પર પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા.. અને તેઓ ગણદેવી થી વલસાડ તરફ કોઈ કામ અર્થે આવ્યા હતા. બાઈક પર મૃતક અજયભાઈ દલપતભાઈ હરિજન અને તેમના પત્ની સાથે બે બાળકીઓ અને એક 9 મહિનાનું બાળક એમ એકજ પરિવારના 5 સભ્યો સવાર હતા. આ પરિવાર એક જ બાઈક પર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ સુગર ફેક્ટરી નજીકથી પસાર થઈ રહ્યું હતું. એ જ વખતે હાઇવે પરથી બેફામ દોડી રહેલા એક ટ્રકે બાઇક પર જઇ રહેલા પરિવારને જોરદાર ટક્કર મારી હતી. જેથી ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થતાં બાઈક પર સવાર ઘરના મોભી અજયભાઈ હરિજન અને તેમના પત્ની સાથે તેમની બે બાળકીઓનું પણ ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમનું 9 મહિના એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. આમ અકસ્માતમાં એક સાથે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજવાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત સર્જયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ફરાર ટ્રક ચાલકને પણ ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો. આમ આ અકસ્માતમાં મોતને ભેટેલા એક જ પરિવારના સભ્યોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવા અને તેમના સ્વજનોને જાણ કરવા સહિત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ આજે વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી વળેલા કાળ ચક્રએ એક હર્યા ભર્યા પરિવારનો માળો વિખી નાખ્યો હતો..જેને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો ..

Next Story