Connect Gujarat
ગુજરાત

વાગરા તાલુકાના ખોજબલ ગામે પતિ-પત્નીના ઝઘડામાં મારમારી પતિએજ પત્નીનું ઢીમ ઢાળ્યું

વાગરા તાલુકાના ખોજબલ ગામે પતિ-પત્નીના ઝઘડામાં મારમારી પતિએજ પત્નીનું ઢીમ ઢાળ્યું
X

વાગરા તાલુકાના ખોજબલ ગામે પતિ તથા ૩ સંતાનો સાથે રહેતી જયશ્રી સંજય વાસવાને પતિ સાથે બપોર ના ૧વાગ્યાની આસપાસ ઝઘડો થતા સંજયે જયશ્રીને મારમારી ઇજા પોહોચાડી તેનું મોત નીપજાવતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જયશ્રી પોતાની નણંદના આણાના પ્રસંગમાં ગઇ હોય અને ઘરે પાછી આવતા તેના પતિ સંજયએ તું ત્યાં કેમ ગઈ હતી? તેમ કહી તેની સાથે લાચાલી કરી તેને ગામની સીમમાં માછલાં જોવાંને બહાને ખોજબલ- સડથલા સીમ નજીકની ખાડી પાસે લઈ જઈ જયશ્રી કાંઇ સમજે તે પહેલાંજ અચાનક લાકડી વડે તેને મારમાતા જયશ્રીને માથે તેમજ શરીરે ગંભીર ઇજા ઓ પહોંચાડીહતી.બાદમાં તેને પોતાની મોટરસાયકલ ઉપરજ લોહીલુહાણ હાલતમાં ઘરે લઈને જતો હતો. દરમિયાન જયશ્રીના પિયરીયા રોડ ઉપર સામે આવતા દેખતા જ તેણે ઘાયલ જયશ્રીને બાઇક પરથી ધકકો મારી રોડ પર ફેંકી દઇ ભાગી છૂટીયો હતો.

ઘાયલ જયશ્રીને તેની માતા ઉક્ડીબેન તથા અન્ય ઘરવાળા રીક્ષા મારફત સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન મોડી સાંજે ૭,૪૫ કલાકની આસપાસ હાજર તબીબે જયશ્રીને મરણ જાહેર કરી હતી.આ ઘટનાની જાણ વાગરા પોલીસને કરાતા પોલીસે મૃતકના સાવકા પિતાની ફરિયાદ લઇ સંજય રતિલાલ વસાવા વિરોધ હત્યાનો ગુન્હો નોંધી,મારમારી પત્નીનું મોત નિપજાવી ફરાર સંજયની શોધ આરંભી છે.

Next Story