વાઘોડિયા: ૬ જેટલા ગામોમાં હિંસક દિપડાએ મચાવ્યો આતંક
BY Connect Gujarat12 Feb 2019 5:14 PM GMT
X
Connect Gujarat12 Feb 2019 5:14 PM GMT
વાઘોડિયા તાલુકાના ૬ જેટલા ગામોમાં પુનઃ હિંસક દિપડાએ આતંક મચાવતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.
પુનઃ એક વાર વાઘોડિયા તાલુકાના દંખેડા તેમજ માધેવપુરા ગામે હીંસક દીપડાએ બકરાં, કુતરૂ તેમજ વાછરડાનું મારણ કર્યું હતું. વાઘોડિયા તાલુકાના દેવ નદીના કાંઠા ના ગામો ના વિસ્તારમાં દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે. ગોદાદરા, વસ્વેલ, મુવાડા, માધેવપુરા, ફ્લોડ, ગુટાલ, દંખેડા ગામે વાછરડા બકરા તેમજ કૂતરાનું મારણ કર્યુ હતુ. પરંતુ હજુ સુધી હિંસક દીપડો આજરોજ સુધી પાંજરે પુરાયો જ નથી. દીપડો વનખાતાવાળાને સંતાકૂકડી રમાંડતો હોય તેમ લાગી રહ્યું છે.
વન વિભાગની ટીમે દીપડાને પુરવા માટે આજરોજ સંખેડાથી વધુ એક પાજરૂ મંગાવી કવાયત હાથ ધરી છે.વન વિભાગની ટીમ દ્વારા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ત્રણ જેટલા પીજરા મૂકીને હીંસક દીપડાને પાંજરે પુરવા માટે દીવસ રાત એક કરી રહ્યા છે.
Next Story