Connect Gujarat
ગુજરાત

વિધીની વક્રતાઃ વડોદરામાં એક જ વ્યક્તિનાં બે વખત થયા અંતિમ સંસ્કાર

વિધીની વક્રતાઃ વડોદરામાં એક જ વ્યક્તિનાં બે વખત થયા અંતિમ સંસ્કાર
X

વડોદરાના વેપારી સુરજ શાહ મર્ડર કેસમાં કેનાલમાંથી બીજી વખત મૃતદેહ મળી આવ્યો હતો. આજે સુરજ શાહના મૃતદેહને કાલોલથી વડોદરા લાવી પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. ત્યારબાદ ખાસવાડી સ્મશાન ખાતે તેનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આમ મૃતકનાં પરિવારે સુરજ શાહના બે વખત અંતિમ સંસ્કાર કર્યા હતા. અગાઉ મળેલો મૃતદેહ કોનો છે તે અંગે પરિવાર અને પોલીસ બન્ને અસંમજસમાં છે. જોકે પોલીસે અગાઉ મળેલા મૃતદેહ અંગે તપાસ હાથ ધરી છે. બોડી ડિકમ્પોઝ થઇ ગઇ હોવાથી કયો મૃતદેહ સુરજ શાહનો હતો તે પરિવારને પણ ખબર પડી નથી. પોલીસનું માનીએ તો ગુરૂવારે જે મૃતદેહ મળ્યો તે સુરજ શાહનો હતો. પરંતુ ડીએનએ ટેસ્ટ પછી જ કયો મૃતદેહ સુરજ શાહનો છે તે સ્પષ્ટ થઈ શકશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="47315,47316,47317,47318"]

વડોદરાનાં બહુચર્ચિત સૂરજ શાહની હત્યામાં ગુરુવારે નવો વળાંક આવ્યો હતો. હાલોલના ચીપાટ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી લાશ મળ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. તેનાં બીજા દિવસે કાલોલના બોરુ ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી પગે દોરી વડે પથ્થર બાંધેલી લાશ મળી આવી હતી. આ લાશ સૂરજની જ હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. વડોદરાના હરણી રોડના વેપારી સૂરજ શાહ 25 એપ્રિલે સાંજે વિજય રોહિત ઉર્ફે વકીલ, શ્રીકાંત પવાર અને મેહુલ માને સાથે ઝાયલો કારમાં નીકળ્યા હતા. બાદમાં રહસ્યમય રીતે ગુમ થઇ જતાં તેમની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યુ હતુ.

Next Story