Connect Gujarat
સમાચાર

વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ ત્રણ વન- ડે માટે ઈન્ડિયાએ ટીમ જાહેર કરી

વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ ત્રણ વન- ડે માટે ઈન્ડિયાએ ટીમ જાહેર કરી
X

ભારતીય ટીમના મુખ્ય બોલર ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહની વાપસી

વેસ્ટ ઇન્ડીઝ સામે વર્તમાન વન-ડે સિરીઝની બાકી રહેલી ત્રણ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં ભારતીય ટીમના મુખ્ય બોલર ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. જ્યારે મોહંમદ શમીને આરામ અપાયો છે. સિરીઝની ત્રીજી વન-ડે 27 ઓખ્ટોબરે રમાશે. પાંચ વન-ડે મેચની સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે.

શમીને પ્રથમ બે મેચમાં અંતિમ-11માં સ્થાન મળ્યું હતું પરંતુ તે બંને મેચમાં ઘણો ખર્ચાળ સાબિત થયો હતો. શમીએ ગુવાહાટીમાં 81 રન આપી બે વિકેટ ઝડપી હતી જ્યારે વિશાખાપટ્ટનમમાં 59 રન આપી એક વિકેટ મેળવી હતી. ઉમેશ યાદવ પણ પ્રતિભાશાળી બોલિંગ કરી શક્યો નહોતો તેણે બે મેચમાં 142 રન આપ્યા હતા પરંતુ તે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.

ભુવનેશ્વર અને બુમરાહને એશિયા કપ અને તે પછી વિન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ તેમજ પ્રથમ બે વન-ડે માટે આરામ અપાયો હતો. ભુવનેશ્વર અને બુમરાહની વાપસીથી ભારતીય ટીમનું આક્રમણ મજબૂત બન્યું છે. ઈન્ડિયા ત્રણ મેચ પુણે, મુંબઈ અને તિરુવનંતપુરમ ખાતે રમાશે.

ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, ઋષભ પંત, ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ એહમદ, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, મનીષ પાંડે.

Next Story