Connect Gujarat
દેશ

વૈષ્ણોદેવી જનારા દિવ્યાંગ, દર્દીઓ અને વૃદ્ધ ભક્તો ૨૫ ડિસમ્બરથી શરૂ થશે કેબલ કાર

વૈષ્ણોદેવી જનારા દિવ્યાંગ, દર્દીઓ અને વૃદ્ધ ભક્તો ૨૫ ડિસમ્બરથી શરૂ થશે કેબલ કાર
X

કેબલ કારની આ સુવિધા દિવ્યાંગ,દર્દીઓ અને વૃદ્ધો માટે રહેશે, વૈષ્ણોદેવી ભવનથી ભૈરવ મંદિર સુધી જવા માટે કેબલ કારની સુવિધા પ્રાપ્ત થશે

વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અત્યંત સારા સમાચાર છે. હવે તેમને અહીં ટૂંક સમયમાં જ કેબર કારની સુવિધા પ્રાપ્ત થશે. માતા વૈષ્ણોના ભવનથી ભૈરવ મંદિર સુધીની આ કેબલ કાર સુવિધાની શરૂઆત ૨૫ ડિસેમ્બરથી થવા જઈ રહી છે.

અત્યાર સુધી વૈષ્ણો ભવનથી ભૈરવ ઘાટી જવા માટે શ્રદ્ધાળુઓને ૩.૫ કિમી લાંબું સીધું ચડાણ કરવું પડતું હતું. કેબલ કારમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦નો ચાર્જ લેવામાં આવશે. આ કેબલ કાર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી શરૂ કરવામાં આવી રહી છે, જેનું તમામ કામ સંપૂર્ણ થઈ ગયું છે.

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ આ કેબલ કાર સુવિધાનું ઉદ્ઘાટન કોઈ વીવીઆઈપીની હાથે કરાવા માગે છે. વૈષ્ણોદેવી મંદિરથી ભૈરો ઘાટીનું અંતર લગભગ ૩.૫ કિમી છે, પરંતુ આ માર્ગ સીધું ચઢાણ છે. જેના કારણે વૃદ્ધો, દિવ્યાંગ અને દર્દીઓ ભૈરો મંદિર સુધી જઈ શકતા નથી. હવે, કેબલ કારની સુવિધાને કારણે તેમને સરળતા રહેશે.

એવી પણ માન્યતા છે કે, માતા વૈષ્ણોના દર્શન આવનારા શ્રદ્ધાળુઓ જ્યાં સુધી ભૈરવ મંદિર ન જાય ત્યાં સુધી તેમની આ યાત્રા અધુરી કહેવાય છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા આ કેબલ કાર પ્રોજેક્ટનું કામ ૨૦૧૪માં શરૂ કરાયું હતું. તેના નિર્માણનો કોન્ટ્રાક્ટ સ્વિટ્ઝરલેન્ડની ગર્વેન્તા એજી અને દામોદર રોપ-વેને અપાયો હતો અને તેમાં રૂપિયા ૭૫ કરોડનો ખર્ચ આવ્યો છે.

Next Story