વ્રતની મોસમમાં બનાવો ફરાળી દહીંવડા
BY Connect Gujarat15 July 2016 1:29 PM GMT
X
Connect Gujarat15 July 2016 1:29 PM GMT
અત્યારે ઉપવાસ-વ્રતમાં અનેકવિધ ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં ફરાળી ખીચડી, ફરાળી ભાખરી વગેરેનો સમાવેશ થાય છે. આજે વ્રતની આ મોસમમાં ફરાળી દહીવડાની રેસીપી રજૂ કરવામાં આવી રહી છે.
ફરાળી દહીંવડા બનાવવા માટેની સામગ્રી
- 100 ગ્રામ સીંગદાણા
- 100 ગ્રામ બટાકા
- 100 ગ્રામ શીંગોડાનો લોટ
- 1 ચમચી વાટેલા આદુ-મરચા-લસણ
- 1 ચમચી કોથમીર
- ચપટી મરી પાવડર
- લીંબુનો રસ
- જરૂરિયાત મુજબ ખાંડ
- સ્વાદાનુસાર મીઠું
- 1 ચમચી દાડમના દાણા
- 2 ચમચી ખજૂર આમલીની ચટણી
- 2 ચમચી લીલી ચટણી
ફરાળી દહીવડા બનાવવાની રીત
- સીંગદાણાને ત્રણ-ચાર કલાક પલાળી, બાફી લેવા.
- બાફેલા સીંગદાણાને મિક્સરમાં ક્રશ કરી લેવા.
- સીંગદાણાના ભૂકામાં આદુ-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, મરી પાવડર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરવા.
- બટાકાને બાફી તેમાંથી માવો બનાવવો. તેમાં શીંગોડો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી સીંગદાણાનું પૂરણ ભરવું અને ગોળ વાળી તળી લેવા. વડા તૈયાર છે.
વડા પર દહીં નાંખી, આમલી-ખજૂરની ચટણી, લીલી ચટણી, કોથમીર અને દાડમના દાણા નાંખવા.
Next Story