શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરશે : અમિતાબ બચ્ચન
શહીદ જવાનોના પરિવારને પાંચ લાખની મદદ કરશે.
બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના પરિવારોને આર્થિક મદદનું એલાન કર્યું છે. તેઓ એક શહીદના પરિવારને પાંચ લાખની મદદ કરશે. એ જોતાં બિગ બી શહીદોના પરિવારોને આશરે બે કરોડની મદદ કરશે.
અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ જણાવ્યુ છે કે અમિતાભ બચ્ચનએ શહીદ પરિવારોની મદદનો નિર્ણય લીધો છે. અને તે માટે યોગ્ય પદ્ધતિ શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહીદો પરના હુમલાથી વ્યથિત અમિતાભ બચ્ચન અગાઉ શોક વ્યક્ત કરી ચૂક્યા છે.
શહીદ જવાનોની મદદ માટે અન્ય કેટલીક સેલેબ્રેટીઝ પણ આગળ આવ્યા છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના ચાહકોને જવાનોની મદદની અપીલ પણ કરી છે. દેશભરમાં પુલવામા હુમલાની નિંદા કરવામાં આવી રહી છે, દેશવાસીઓમાં આતંકીઓ સામે ભારે રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. સાથે-સાથે શહીદોના પરિવાર માટે પણ સંવેદનાની લાગણી વહી રહી છે. દેશનો કોઇ પણ વર્ગ શહીદ પરિવારની મદદ કરવા માટે આતૂર છે અને કોઇને કોઇ રસ્તે તેઓ આ કાર્ય કરી રહ્યા છે.