Connect Gujarat
ગુજરાત

શુ ચા અપાવશે ભાજપ ને ગુજરાતમાં સત્તા ? કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાની જૂનાગઢમાં

શુ ચા અપાવશે ભાજપ ને ગુજરાતમાં સત્તા ? કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાની જૂનાગઢમાં
X

૨૦૧૪ની લોકસભાની ચુંટણી સમયે ભાજપ દ્વારા ચાઈ પે ચર્ચા કરી કેમ્પેઇન કરવામાં આવ્યું હતું. તે સમયે તે કેમ્પેઇન એટલું સફળ રહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની પ્રચંડ બહુમતિ થી સરકાર બની હતી. ત્યારે ફરી એક વાર ગુજરાતનો ગઢ જીતવા ભાજપ દ્વારા ચા ને લઇને જ એક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.

જેનું નામ " મન કી બાત ચાઈ કે સાથ " રાખવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ મન કી બાત કાર્યક્રમ નું ગુજરાતના ૫૦ હજાર થી પણ વધુ બુથ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભાજપ દ્વારા પોતાના ૫૦ સ્ટાર પ્રચારકો નેતાઓ ની ટીમ ગુજરાત ભરમાં વહેચવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જૂનાગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રીના મન ની વાત સાંભળી હતી. તો સાથો સાથ કાર્યકર્તાઓની મન ની વાત પણ સાંભળી હતી

Next Story