સંસદમાં વિરોધ પક્ષના હંગામા સાથે શરુ થશે સત્રનું ચરણ
BY Connect Gujarat9 March 2017 6:03 AM GMT
X
Connect Gujarat9 March 2017 6:03 AM GMT
બજેટના બીજા સ્તરનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ સત્રમાં એક તરફ વિપક્ષ નોટબંધીને લઈને ઘણા પ્રસ્તાવો પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ સરકાર નવા એજન્ડાને લઈને આગળ વધવા પર કામ કરશે.
તો આજરોજ ગૃહમંત્રી રાજનાથસિંહ લખનઉ એન્કાઉન્ટર તેમજ મધ્યપ્રદેશના શાહજહાંપુરમાં ટ્રેનમાં થયેલા વિસ્ફોટને લઈને ખુલાસા આપી શકે છે. હાલમાં જ થયેલા એન્કાઉન્ટરમાં મળેલ વસ્તુઓ પરથી આ કામ ISIS નું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
જો કે વિપક્ષ દ્વારા નોટબંધી તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકારને ભીંસમાં લેવામાં આવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.
Next Story