સુરતમાં બાપ્પાની મૂર્તિને 1,11,111 હીરાનો કરાયો શણગાર
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરથાણા જકાતનાકા નજીક વ્રજ રોડ પર આવેલી વણીંરાજ સોસાયટીમાં ગણપતિ બાપ્પાની મૂર્તિને 1,11,111 હીરાનો શણગાર કરવામાં આવ્યો છે.
સરથાણા વણીંરાજ સોસાયટીમાં બિરાજમાન ગણપિતની મૂર્તિને લગભગ 1,11,111 રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિ બાપ્પાની માટીની પ્રતિમા પર સૂંઢ, બાજુબંધ, ગળાનો હાર અને કાન પર રજવાડી કુંડળના સુશોભન માટે સવા લાખના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોસાયટીમાં રહેતા પ્રતિક ગજેરાએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી સવાર સાંજ આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થાય છે.
વણીંરાજ સોસાયટીમાં સૌ કોઇના સાથ સહકારથી બાપ્પાની પૂજા બાદ સામાજીક સેવા પણ કરવામાં આવે છે. તે માટે 10 દિવસ સુધી બાપ્પાના સ્થાપન પાસે જ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશો, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન, અંગ દાન અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે.